પ્રમુખશ્રી
Dhirubhai પ્રમુખશ્રી : ઠક્કર ગીરીશકુમાર છોટાલાલ

પત્ર વ્યવહાર નું સરનામું :
પાર્થ સોસાયટી,આબુ હાઇવે,
પાલનપુર , જી : બનાસકાંઠા,
સંપર્ક : ૯૮૨૫૨૧૦૨૧૧


મારા વ્હાલા સાથીઓ, જ્ઞાતિબંધુઓ

        લગભગ ૫૦૦૦ કુટુંબોનું સંખ્યાબળ ધરાવતો આપણો સમાજ સમસ્ત રઘુવંશી લોહાણા માં એક આગવી ઓળખ ધરાવે છે . શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજને સંગઠનનું બળ પુરું પાડે છે, તેમજ પરિવાર પરિચય વેબ ડેટા બેંક જ્ઞાતિજનોને વિવિધ રીતે ઉપયોગી થશે. આપણા વડીલો અને સમાજ ના સૂત્રધારોએ સખત પરિશ્રમ કરીને સમાજનું સિંચન કર્યું છે જેના ફળસ્વરૂપે આજે આપણે સૌ સમાજ ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બન્યા છીએ. શિક્ષણ નિધિ, આરોગ્ય નિધિ, સામાજિક સુરક્ષા યોજના , સમુહલગ્ન , સમાજનું આગવું મુખપત્ર જેવા સમાજના વિવિધ રચનાત્મક કાર્યો આપણા સમાજને એક નવી ગરિમા પ્રદાન કરશે તેમાં મને કોઈ શંકા નથી.

        આવો, આપણે સૌ સાથે મળીને તન, મન અને ધનથી સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

આપ સૌના સતત સહકાર ની અપેક્ષા સહ,
- ઠક્કર ગીરીશકુમાર છોટાલાલ