મેરેજ બ્યુરો
Manubhai શ્રી મનુભાઈ માધવજીભાઈ ઠક્કર,
ચેરમેન શ્રી,

પત્ર વ્યવહાર નું સરનામું :
આણંદ


શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન ના તમામ હોદેદારો, કારોબારી સભ્યો તથા સમસ્ત જ્ઞાતિ બંધુઓ,

જય જલારામ. જય રઘુવંશ.

        આપણો સમાજ અને તેમાંય યુવાન દીકરા દીકરીઓ શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે ત્યારે વિવાહિક સબંધો અંગે ની જટિલતા દિવસે ને દિવસે વધતી જાય છે. ઉચ્ચ શિક્ષણ, શહેરો તરફ ની દોડ , સામા પાત્ર પાસેની અપેક્ષાઓ, વિભક્ત કુટુંબો, મધ્યસ્થી ની અછત જેવા અનેક પ્રશ્નો ને લીધે વડીલો તથા માતા પિતા લાચારી અનુભવે છે. આવા વિવિધ પ્રશ્નોને વાચા આપી શકાય તે હેતુથી ગત વર્ષથી આપણા સમાજ માં “મેરેજ બ્યુરો’ ની રચના કરેલ છે.

        મેરેજ બ્યુરો અંતર્ગત આપણા સમાજ ના યુવાધન ની ઓળખ રૂપ એક યુવા પરિચય પુસ્તિકા બનાવવાનું પણ નક્કી કરાયેલ છે. જેમાં આપણા સમાજના વિવિધ ક્ષેત્રે અભ્યાસ તથા નોકરી કરી રહેલા યુવક યુવતી ઓ ની તમામ માહિતી આપણને ઉપલબ્ધ થશે. લગભગ ૨૫૦ થી પણ વધારે ફોર્મ અમને મળેલ છે. અમને આશા છે કે જો હજી પણ ૨૦ થી ૨૫ વર્ષ ની ઉમરના કોઈ ફોર્મ બાકી હોય તો આપ સત્વરે મોકલી આપશો.

        આ સિવાય કોઈ પણ પ્રકાર ના માર્ગદર્શન તથા મૂંઝવણના નિરાકરણ માટે પણ અમારી સમિતિ હંમેશા આપની સાથે રહેશે અને આપણા તમામ યુવાન દીકરા દીકરીઓને યોગ્ય સુપાત્ર મળે તે માટે કટિબદ્ધ રહેશે કે જેથી કરીને સુંદર સમાજ નું નિર્માણ કરી શકાય. આપ આપના પ્રશ્નો કે કોઈ પણ પ્રકારની મૂંઝવણ અંગે ટેલિફોન કે પત્ર થી નીચેના સરનામે જાણ કરી શકો છો. અમે શક્ય હશે તેટલા ઝડપથી આપને સંપૂર્ણ ગુપ્તતા સાથે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું.

આપ સૌના આશીર્વાદ ની અપેક્ષા સહ,
- મનુભાઈ માધવજીભાઈ ઠક્કર