મુખપત્ર - અમર રઘુવંશમ્
Himanshubahi Thakkar ચેરમેન - શ્રી હિમાંશુભાઈ ભાઈલાલભાઈ ઠક્કર

પત્ર વ્યવહાર નું સરનામું :
બી બ્લોક, ૩૦૨, મિલેનિયમ પ્લાઝા, સ્વામિનારાયણ મંદિર સામે,
માનસી ટાવર ચાર રસ્તા પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ – ૧૫.
સંપર્ક : ૯૮૭૯૩૦૧૦૦૪


વ્હાલા સભ્યશ્રીઓ,

જય જલારામ , જય રઘુવંશ..

કુશળ હશો.. આપણા સમાજની ભાવનાઓને અક્ષરદેહે પ્રસ્તુત કરતા આપણા મુખપત્ર 'અમર રઘુવંશમ્' ના આજીવન સભ્ય બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.

કોઈ પણ સમાજના વિકાસમાં સંગઠન, સહકાર અને સમર્પણ પાયાની બાબતો છે. સમાજની પ્રગતિ માટે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન પણ ખુબ જ જરૂરી છે. આ વિચારોના આદાન પ્રદાન માટે 'અમર રઘુવંશમ્' આપણા સૌ માટે માધ્યમ બની રહ્યું છે તે અતિ ગૌરવની વાત છે.

સંપાદક મંડળ, પ્રુફ રીડર્સનો સતત સહકાર, જાહેર ખબરના માધ્યમથી આર્થિક બળ પુરૂ પાડનાર સૌજન્ય દાતાશ્રીઓનો સહયોગ, લેખકો દ્વારા સતત મોકલાતી માહિતી, લેખો અને સમાજના સૌ સભ્યો દ્વારા આ મુખપત્રની હૃદયપૂર્વકની સ્વીક્રુતિ એ જ અમારા માટે આર્શીવાદ છે.

આવનારા દિવસોમાં 'અમર રઘુવંશમ્' શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રેરક માધ્યમ બને અને 'અમર રઘુવંશમ્' ના માધ્યમથી શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા પ્રેરિત વિવિધ સેવાકીય પ્રવૃતિઓનો વિસ્તાર થાય તથા આપણી સંસ્થા સામાજિક કાર્યોમાં સમગ્ર રઘુવંશી સમાજ માટે ઉદાહરણરૂપ બને એ જ પરમકૃપાળુ પરમાત્મા અને માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના...