પ્રવૃત્તિઓ
        શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા અનેક સમાજ ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સામાજીક સુરક્ષા યોજના એ સમાજ ના ભાઈઓને સુરક્ષા કવચ પુરૂ પાડે છે.સંસ્થાનું મુખપત્ર તમામ સભ્ય કુટુંબો વચ્ચે આત્મીયતા વધારવામાં સેતુરૂપ છે.

   આ ઉપરાંત,સંસ્થાના તમામ સંલગ્ન મહાજનો દ્વારા જલારામ જયંતિ,દિવાળી,સ્નેહ મિલન,દરિયાલાલ જયંતી,યાત્રા પ્રવાસ,સરસ્વતી સન્માન સમારોહ,અન્નક્ષેત્ર,વૃક્ષારોપણ,રક્તદાન શિબિર,થેલેસેમિયા ચેક અપ કેમ્પ,પારાયણ,સત્સંગ શિબિર જેવા અનેકવિધ કાર્યક્રમો સમયાંતરે કરવામાં આવે છે.

         આ ઉપરાંત,દર વર્ષે સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.